08/10/2016
માનનીય શ્રીમાન મુરબ્બી / દોસ્તો , . . .
આ પત્ર ધ્વરા આપને મળી ને ખુબ જ આનંદ થયો . આશા રાખુ કે ઘેરે બધા મઝા મા હશે .
હુ આપ ને માટે ખુબજ સુંદર વ્યવસાય ની દરખાસ્ત લાવ્યૉ છું જે તમને ચૌકકસ ગમશે .
જીવનવીમાનું વેચાણ એક અદભુત વ્યવસાય
યુવાન વયમાં પગ મૂકતા જ દરેક વ્યક્તિ પોતાની કારકિર્દીની પસંદગી અંગે ગંભીર અને સભાન થઈ જાય છે.
જૂના જમાનામાં ઉતમ વ્યવસાય એટલે ખેતી કરવી. મધ્યમ વ્યવસાય તરીકે વ્યાપાર અને કનિષ્ટ એટલે નોકરી કરવી. પરંતુ હવે આ જમાનામાં દરેક વ્યક્તિ પાસે ખેતી કરવા માટે જમીન હોતી નથી. વ્યાપાર માટે પણ મિલકતની જરૂર પડે છે. નોકરી એ એવો વ્યવસાય છે કે જેમાં વગર પૈસાના રોકાણે દરેક મહિને નક્કી આવક મળતી હોય છે, પરંતુ નોકરી માટે ફરજ બજાવવા માટે નિયમિત સમયનું પાલન, ભવિષ્યમાં પ્રગતિ ધીમી થવાની શક્યતા અને ઉપરી અધિકારીનું બંધન વગેરે બાબતો પ્રતે લોકોનો અણગમો પણ રહેતો હોય છે. આવી પરિસ્થિતિમાં સમય બદલાતો ગયો તેમ તેમ વ્યવસાયની નવી નવી તકો આવતી ગઈ. જેમ કે કન્સલ્ટન્સી એજન્સી જેવા નવા વિકલ્પો વ્યવસાય માં ઉમેરાયા . આ વ્યવસાયમાં સૌથી સારી બાબત એ છે કે વ્યક્તિ જેમ જેમ પોતાના લક્ષ્યાંકો પાર કરે તેમ તેમ તેની પ્રગતિ વેગ પકડતી જાય અને આવક પણ વધતી જાય છે. વ્યવસાયની બાબતમાં આવક અને મોભો (status) મહત્વ ધરાવે છે, છતાં સાથે સાથે આત્મસંતોષ પણ પ્રાપ્ત થવો એટલો જ જરૂરી છે.
જીવન વિમાની એજન્સી એક સારો વ્યવસાય કેમ ગણાય છે ?
વીમા એજન્ટ આજે જીવન વીમો વેચવાનું કામ કરે છે તેનો આર્થિક લાભ વર્ષો સુધી તેને મળે છે. વીમા પોલીસીની મુદત ૨૦-૨૫ વર્ષની હોય છે, એટલે વીમા એજન્ટને પણ પોલીસી લાંબો સમય ચાલે તેટલો સમય સુધી કમીશન પ્રાપ્ત થાય છે. પાંચ વર્ષ પછી આ વ્યવસાય, સારો ધંધો કરીને છોડી ડે યા તેનું મૃત્યુ થાય તો પણ તેને કરેલ પોલીસીના વેચાણનું કમીશન તેના વારસદારને વર્ષો સુધી મળે છે. વીમા વ્યવસાયને અદભુત એટલા માટે જ કેહવાય છે, કારણ કે આવો આર્થિક લાભવાળો કોઈ વ્યવસાય આપણા દેશમાં નથી. આ ધંધામાં આપણા દેશના પ્રથમ હરોળના મોટા મોટા વ્યાપારીઓએ ઝંપલાવ્યું છે અને હજારો કરોડો રૂપિયા રોક્યા છે, જેની સાથે વીમા એજન્ટનું રોકાણ ફક્ત સમય અને મેહનત છે. વીમા એજન્ટ સારી મેહનત કરે, ગ્રાહક સાથે નમ્ર વ્યવહાર કરે, વીમા કંપનીના પ્લાનનું સારું જ્ઞાન ધરાવતો હોય અને વીમો વેચ્યા પછી ગ્રાહકની જરૂરીયાત પ્રમાણે નિયમિત સેવા આપે તો આપણે કહી શકીએ કે એજેન્ટની રૂપિયા કમાવવાની લીમીટ – SKY IS LIMIT. રૂપિયા કમાવવાની સાથે તમારું માન-સન્માન સમાજમાં તથા કંપનીમાં તમો કામ કરો તે પ્રમાણે અલગ અલગ ક્લબ મેમ્બરશીપ પ્રમાણે રૂપિયા તથા ગિફ્ટ આપે છે. વ્યવસાય પ્રમાણે કંપની પરદેશની ટ્રીપ ઉપર પણ મોકલે છે-
આ બધું મેળવવા માટે.
વીમા એજન્ટમાં ઉત્સાહ અને મોટીવેશન હોવું જરૂરી છે.
આ વ્યવસાય એ શોખ તરીકે તથા સ્વેછાથી પૈસા કમાવવાની આતુરતા સાથે કરવો જોઈએ.
આપણા દેશમાં હજુ જીવન વીમા વિષે લોકોમાં જાગૃતિ નથી તેઓ જીવન વીમો આવશ્યક છે તેવું માનવા તૈયાર નથી. તેઓ આ વ્યવસાયને બીજા વ્યવસાય સાથે સરખામણી કરે છે અને આર્થિક લાભ શેમાં વધારે છે, તે જુએ છે, પરંતુ એક હોશિયાર વીમા એજન્ટ આવા લોકોને સમજ આપવી જોઈએ કે – જીવન વીમો આજે કપરા આર્થિક સમયમાં વૈભવ ન હોઈ જરૂરિયાત બની ગયો છે. કોઈ પણ વ્યક્તિ માટે રોટી, કપડા અને મકાન પછીની ચોથી મૂળભૂત જરૂરિયાત જીવન વીમો છે. જો આ હકીકત વીમા એજન્ટ દરેક વ્યક્તિને સમજાવી શકે તો સમાજના મોટા ભાગના લોકોને વીમાનું રક્ષણ આપી શકાય છે.
જીવન વીમા વિશે લોકોને સમજાવવા માટે નમ્ર વ્યવહાર, ગ્રાહકની વાતને શાંતિથી સાંભળી, તેની જરૂરિયાત પ્રમાણે વિમાનો યોગ્ય પ્લાન તેને આપવો જોઈએ. ગ્રાહકને જીવન વીમા પોલીસી વેચ્યા પછી પણ પોલીસી પાકે ત્યાં સુધી યા વચમાં મૃત્યુ થાય ત્યાં સુધી તેની જરૂરિયાત પ્રમાણે વિમાની સેવા આપવી જોઈએ. રોજ ગ્રાહકની લીસ્ટ બનાવીને તેમને ટેલીફોન કરીને મુલાકાત નક્કી કરવી જોઈએ.
એક સારા વીમા એજન્ટ તરીકેની છાપ હંમેશા રાખવા માટે ગ્રાહકનો વિશ્વાસ જીતવો પડે તથા નિયમિત સેવા જેમ કે તેની પોલીસીનું પ્રિમીયમ ચેક દ્વારા પ્રાપ્ત કરીને વીમા કંપનીમાં ભરવાથી તેની પોલીસી હમેંશા ચાલુ રહે છે, જેથી ગ્રાહકને સંતોષ થાય છે અને એજન્ટને પણ કમીશન ચાલુ રહે છે.
મને આપ નો ફકત એક કલાક નો કીંમતી સમય આપવા નમ્ર વિનંતી છે .
ભરતભાઈ આર ઠક્કર , વિમા એજન્ટ રિક્રુટમેન્ટ અધિકારી
98253 29960